જી.આઈ.ડી.એમ. અને ફિક્કી વચ્ચે સમજૂતી કરાર થયા

જી.આઈ.ડી.એમ. અને ફિક્કી વચ્ચે સમજૂતી કરાર થયા

Date: 14/03/2018
જી.આઈ.ડી.એમ. અને ફિક્કી વચ્ચે સમજૂતી કરાર થયા

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી) વચ્ચે અમદાવાદમાં 14 માર્ચ, 2018ના રોજ યોજાયેલ 33 મી રાષ્ટ્રિય ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન પરિષદમાં રાજ્યનાં મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહ, આઇ.એ.એસ., ની હાજરીમાં સમજૂતી કરાર (મેમોરેન્ડમ ઓફ એમઓયુ) કરવામાં આવ્યા હતા.

સમજૂતી કરાર રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન (સીઆઇડીએમ) અને કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિ (સીબીઆરએન) ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને તાલીમની જરૂરિયાતોને સંબોધે છે.

સહકારના ક્ષેત્રો-

  • કેમિકલ અને ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન (સીઆઈડીએમ) અને કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિઓ (સીબીઆરએન) પર અગ્રિમ તાલીમ અભ્યાસક્રમોનો સંયુક્ત રીતે વિકાસ અને વિતરણ કરવું
  • સીઆઈડીએમ અને સીબીઆરએન પ્રશિક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવું
  • સીઆઈડીએમ અને સીબીઆરએન અન્વયે જ્ઞાન,અનુભવનું આદાન-પ્રદાન અને સંયુક્ત પ્રોજેક્ટ્સ માટે સપોર્ટ અને પ્રમોશન કરવું.

જી.આઈ.ડી.એમ. ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને ફિક્કીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ શ્રી નિરંકર સક્સેનાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.